હિંદુ અને મુસ્લિમ રાજાઓ વચ્ચે યુદ્ધ
- - ડૉ. રામ
પુનિયાની
ઇતિહાસમાં અને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે યુદ્ધ થતાં રહ્યાં એ વાતમાં
કેટલું તથ્ય છે તે જોઈએ. સમજવા માટે ત્રણ
ઉદાહરણો જોઈએ.
૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી
ઘાટીના યુદ્ધને હિંદુ-મુસ્લિમ યુદ્ધ તરીકે જોવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે
કે રાજા અકબર તો યુદ્ધના મેદાનમાં આવ્યા જ નહોતા.
પરંતુ અકબર વતી રાજા માનસિંગ યુદ્ધ લડી રહ્યા હતા. અકબરની સેનામાં માનસિંગના રાજપૂત સૈનિકો હતા અને
શાહજહાં સલીમના પઠાણના સૈનિકો હતા. જયારે રાણા પ્રતાપની સેનામાં સેનાપતિ હતા
હકીમ ખાન સૂર. રાણા પ્રતાપની
સેનામાં પઠાણ અને રાજપૂત સૈનિકો હતા. બંને
સેનામાં મુસ્લિમ અને હિંદુ સૈનિકો અને સેનાપતિઓ હતા તો પછી તેને હિંદુ-મુસલમાન
વચ્ચેનું યુદ્ધ કેવી રીતે કેવાય? (પરંતુ કોમવાદીઓ ઈતિહાસને જુદી રીતે ભણાવે છે) રાજા
અકબર પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે નાના રાજાઓને પોતાના રાજ્યમાં ભેળવી દેવા
માટે તેમને હોદ્દાઓ આપતા હતા. પોતાના રાજ્યમાં
ભેળવી દેવા માટે અકબરે રાણા પ્રતાપ સમક્ષ પાંચ હજારીનો હોદ્દો આપવાનો પ્રસ્તાવ
મુક્યો હતો. રાણા પ્રતાપે તેનો અસ્વીકાર કર્યો તેથી તેમની વચ્ચે યુદ્ધ થયું. રાણા પ્રતાપ પછી તેમના દીકરા અમરસિંહને દશ હજારીનો
હોદ્દો આપી પોતાના રાજ્યમાં સામેલ કર્યો હતો. આ યુદ્ધને હિંદુ કે ઇસ્લામ સાથે કેવી
રીતે જોડી શકાય? આતો સ્પષ્ટ રીતે રાજકારણ હતું, તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા
નહોતું. સાંપ્રદાયિક જૂથો નફરતનું વાતાવરણ
ઉભું કરવા ખોટો ઇતિહાસ ભણાવે છે.
૨) શિવાજી મહારાજને મુસ્લિમ વિરોધી રાજા
તરીકે રજુ કરવામાં આવે છે પણ હકીકત જુદી જ છે. શિવાજી અને ઔરંગઝેબ વચ્ચેના
યુદ્ધમાં ઔરંગઝેબ તરફથી મોટેભાગે રાજા જયસિંહ જ લડતા હતા. જયારે શિવાજીના સૈન્યમાં ઘણા મુસ્લિમ સેના
નાયકો હતા જેમકે સિંઘવી સંબલ અને તેમના ખાનગી સચિવનું નામ હતું મૌલાના હૈદરઅલી.
શિવાજી મહારાજ આગ્રાના કિલ્લામાંથી ભાગી છૂટ્યા ત્યારે તેમને મદદ કરનાર મુસ્લિમ રાજકુમાર હતા – મદારી મેહતર.
૩) શિવાજી મહારાજે પોતાના સૈન્યને આદેશ
આપ્યો હતો કે લૂંટફાટ વખતે કોઈ ધર્મનું પુસ્તક આવી જાય તો પૂરા આદર સાથે તેને જે
તે ધર્મના વ્યક્તિને સોંપવું. શિવાજી મહારાજ મહારાષ્ટ્રના એક સૂફી સંત હજરત બાબા થોરવાલાનું
ગુરુ તુલ્ય સન્માન કરતા હતા તો સુરતના ફાધર એબ્રોજને પણ ખુબ આદર કરતા હતા. એક વખત તેમની સેના કલ્યાણના મુસ્લિમ સુબેદારની સુંદર
પુત્રવધૂનું અપહરણ કરી લાવ્યા અને શિવાજી મહારાજને ભેટ આપવા ગયા. શિવાજી મહારાજ ખુબ ગુસ્સે ભરાયા અને તે
સ્ત્રીને પૂરા આદર સાથે તેના પતિ પાસે મૂકી આવવાનો આદેશ આપ્યો. આ બધા પરથી શું આપણે કહી શકીએ કે શિવાજી મહારાજ
મુસ્લિમ વિરોધી હતા? (તો પછી શિવાજી
મહારાજને હિંદુ હૃદય સમ્રાટ કહી શકાય? ના કદી નહીં. તેઓ બિનસાંપ્રદાયિક હતા. તેમના
શાસનમાં લઘુમતિઓ, બહુમતિ જેટલા જ સલામત હતા.)
No comments:
Post a Comment